Posts

Showing posts from July, 2021

મેરેજ અને ડિવોર્સ: તારા વગર નથી જીવવુંથી તારાથી મન ભરાઈ ગયાનો સફર

Image
સાંજના 6 વાગ્યા છે અને મારા લાડલા એવા લેપટોપને સવારથી આરામ મળ્યો નથી. હા, લંચ વખતે 15 મિનિટ એકલું પડ્યું હશે. આજનાં બિગ બ્રેકિંગ: આમિર ખાન અને કિરણ રાવનાં છૂટાછેડા. વર્કિંગ મીડિયામાં હોવાને લીધે આજે આખો દિવસ આમિરની જન્મકુંડલી કાઢી. ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા, કેમ સાથે નહીં રહે..ફલાણું-ઢીકણું. આજે રાતે સપનામાં પાક્કું આમિર ખાન આવશે એ પણ ગેરેંટી. સેલેબ લાઈફ બધાને ગમે પણ તેના ગેરફાયદા પણ છે. પર્સનલ જેવું કઈ રહેતું નથી. કપલે ભલે કહ્યું અમે સહમતિથી અલગ થયા પણ શુભચિંતકોને તો આમાંથી 10 ટોપિક મળી જાય. દુઃખ થયું આજે આ કપલ વિશે લખીને પણ હકીકત સ્વીકારો અને આગળ વધો. જ્યારે કોઈ મને પૂછે કે, તું ક્યારે લગ્ન કરીશ અથવા તો લગ્ન કેમ નથી કરતી? તો સામે મારો પ્રશ્ન એક જ હશે, ગિવ મી 3 વેલિડ રીઝન. આજે નહીં તો કાલે બધા પરણવાના જ છે. ના પણ પરણે. ચોઈસ બધાની અલગ છે. લગ્ન કરીને જે જીવન બદલાય છે એ મેં જોયા છે. તારા વગર હું નહીં જીવુંથી લઈને તારાથી મન ભરાઈ ગયું, હવે સાથે નથી રહેવું. એટલે લગ્નમાં ઓલા સાત જન્મના વાયદાનું શું? આજુબાજુનાં જીવનમાંથી સુખી લગ્નજીવનનાં દાખલા ઘણા ઓછા મળે છે. મિયા-બીબીમાં તકરાર થવાની અને થ